સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

મંગળવાર, 2 ઑક્ટોબર, 2012

શ્રાદ્ધ (પિતૃ પૂજન )




હિન્દુ શાસ્ત્રો અનુસાર, શ્રાદ્વ પક્ષમાં પિતૃઓની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે, જો કે આ વખતે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્વ પક્ષ બેસતું હોવાથી 17 દિવસ સુધી આ શ્રાદ્વ પર્વ ચાલશે. જેથી  પિતૃ ઋણ અદા કરવામાં સારા શુકનની નિશાની ગણવામાં આવે છે. કુટુબમાં સુખ, શાન્તિ અને વંશવેલો વધારવા માટે માટે પિતૃઓને તર્પણ કરવામાં આવે છે. શ્રાદ્વ ભોજનથી તૃપ્ત થઈને પિતૃઓ પોતાના વંશઘરના પરિવારને અપાર સમૃદ્ધિ આપે છે.




શુદ્ધતા જરૂરી
શ્રાદ્વ કર્મમાં પૂરો પરિવાર પિતરો પ્રત્યે સમ્માન અને શ્રદ્ધાપૂર્વ નતમસ્તક હોય છે અને તમામ મળીને પૂજા-હવન, યજ્ઞ, અનુષ્ઠાનમાં ભાગ લેતા હોય છે. શ્રાદ્ધ કર્મમાં ખાસ કરીને શુદ્ધતા અને પવિત્રતા જરૂરી છે.

લોખંડનાં વાસણોનો પ્રયોગ ન કરવો
શ્રાદ્વનું ભોજન તૈયાર કરતી વેળાએ લોખંડનાં વાસણોનો ઉપયોગ ન કરવો. સોના, ચાંદી, કાંસા, તાંબા અને માટીનાં વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ. માત્ર શાકભાજી અને ફળ કાપવા માટે ચપ્પુનો પ્રયોગ કરી શકાય. આવી માન્યતા છે કે લોખંડનાં દર્શન માત્રથી પિતૃઓ પરત ફરી જાય છે.

દારૂ-માંસાહાર નિષેધ
ભોજન બનાવતી વેળાએ કે પિરસતી વખતે માંસ કે દારૂનો પ્રયોગ ન કરવો. શ્રીમદ ભાગવત્ અનુસાર, ન તો કદી માંસ ખાવું જોઈએ, ન ત શ્રાદ્ધમાં આપવું જોઈએ. સાત્વિક અન્ન-ફળોથી પિતૃઓનો સર્વોત્તમ તૃપ્તિ થાય છે.

માદક ગંધનો ત્યાગ

શ્રાદ્ધમાં કદંબ, કેવડો, મોલસિરી, ભડકાઉ રંગના ફૂલો તથા ગંધ રહિત ફૂલ વર્જિત (મનાઈ) ગણાય છે. શ્રાદ્વના સમયે ચંદન, કપૂર સહિત સફેદ ચંદન વગેરે પિતૃકાર્યમાં શુભતા પ્રદાન કરે છે. ભોજન બનાવતી વેળા અને પિરસતી વખતે અત્તર, તેલ ગંધ વગેરેનો પ્રયોગ ન કરવો.

તલ અને જવનું મહત્વ

ભગવાન વિષ્ણુનું કથન છે કે તલ મારા પરસેવાથી પેદા થયેલાં છે, જેથી તર્પણ, દાન અને હોમમાં આપવામાં આવેલ તલનું દાન સારું ગણાય છે. એક તલનું દાન સોના બરાબર છે.

ચોખાનો લોટ અને ખીર
ચોખાનો લોટ અને ખીર મિષ્ઠાનથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. ચોખાના લોટનો પ્રયોગ પિંડ બનાવવા માટે કરાય છે.

લોટો, થાળી, ચંદન, પુષ્પ તમામ પહેલાં તૈયાર કરો. ભોજનનો હિસ્સો પ્રથમ ગાય માટે, બીજો કાગડાને, ત્રીજો કિડી, ચોથો કૂતરાને આપવો જરૂરી છે. શુભ ગંધ, ચંદન, દીપકથી દેવત્વ યોનિમાં ગયેલાં પિતૃઓને પ્રસન્ન થાય છે. આપણાં અન્ન, જળ, તલ, વસ્ત્ર ભોજન વગેરેથી મનુષ્ય યોનિને પ્રાપ્ત પિતૃઓને સંતોષ થાય છે. પિતૃઓને શ્રદ્વાપૂર્વક અન્ન અને ભોજન અર્પણ કર્યા પછી નીચે આપેલ મંત્રનો જાપ કરવો-

ઓમ દેવતાભ્ય : પિતૃભ્યશ્વ મહાયોગિભ્ય, એવ ચ નમ :સ્વધાયૈ સ્વાહાયૈ નિત્યમેવ ભવન્તુ તે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો