સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

ભેદ ખોલી શક્યો નહિ


ગેરસમજ કેવી હતી કે કંઇ બોલી શક્યા નહીં,
આપણી એ વાતનો ભેદ ખોલી શક્યા નહીં.

જાણતા હતા કે જીત આપણી જ છે,
તો પણ એ ખેલ ખેલી શક્યા નહીં.

જતું રહેવું દુનિયાની ભીડથી દૂર,
પણ મજબૂરી કે ફળિયા બહાર પગ મેલી શક્યા નહીં.

સહન તો બધું જ કરવાની તાકાત હતી,
પણ દુનિયાના દર્દને ઝેલી શક્યા નહીં.

પ્રણયનો એક દીપક જલાવી રાખ્યો’તો,
આંધી-તુફાનને પાછા ઠેલી શક્યા નહીં.

વજન કેવું હશે એ દર્દનું દોસ્તો,
કે કોઇ ત્રાજવે તોલી શક્યા નહીં...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો